કોરોના સંકટને કારણે સ્કૂલ/કોલેજ તથા કોચિંગ ક્લાસિસ બંધ છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો સ્કૂલ ખોલવા માટે અલગ અલગ તારીખો આપી રહ્યાં છે. પેરેન્ટ્સની ઈચ્છા શું છે? તેઓ બાળકોને ક્યારથી સ્કૂલ મોકલવા માગે છે? કે નથી મોકલવા માગતા? જો સ્કૂલ ખુલશે તો પણ બાળકોને મોકલીશું કેવી રીતે? દરેક પરિવાર સાથે જોડાયેલા આ મહત્ત્વના સવાલ મુદ્દે દૈનિક ભાસ્કરના સરવેમાં ભાગ લઈને આપનો અભિપ્રાય આપો.